ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, June 7, 2015

જ્યાં કાવ્યમાં પ્રેમ ન મૃત્યુયુક્ત ને શિલ્પમાં યૌવન કાલમુક્ત

સદ્દભાગ્ય શું હોય મનુષ્ય હોવું ?
ક્ષણેક આનંદ, સદાય રોવું;

ક્ષણેકનું યૌવન, વૃદ્ધ થૈ જવું;
ક્ષણેકનો પ્રેમ, સદાય ઝૂરવું;

ક્ષણેક જે પ્રાપ્ત, સદાય ખોવું;
સદ્દભાગ્ય શું હોય મનુષ્ય હોવું ?

સદભાગ્ય શું ન્હોય મનુષ્ય હોવું ?
સૌંદર્ય જ્યાં નિત્ય નવીન જોવું,

જ્યાં કાવ્યમાં પ્રેમ ન મૃત્યુયુક્ત
ને શિલ્પમાં યૌવન કાલમુક્ત

ધરા અહો ધન્ય, ન સ્વર્ગ મ્હોવું;
સદ્દભાગ્ય શું ન્હોય મનુષ્ય હોવું ?

– નિરંજન ભગત

No comments:

Post a Comment