ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, December 18, 2015

નથી આ લાગણી એવી કે જેને પ્રેમ કહેવાશે,

નથી આ લાગણી એવી કે જેને પ્રેમ કહેવાશે,
હજારો તૂટતાં દિલો તારાથી કેમ સહેવાશે.

લઈને સહારો જો જીવી રહ્યા છે પ્રેમી કૈક
તડપતા હૃદય ના સ્પંદ સાથે તું ગઝલ કહેવાશે.

કહ્યા કરતો કે છે અહીં કોમળ હૃદયની વાત,
આંખોથી કરાતા ઘાવ શબ્દોમાં ક્યાં કહેવાશે.

લઈને સહારો રોજ હૂતો શબ્દ ઢોળુ છું
વ્યથાની વાત એને મળીને ક્યાં કહેવાશે.
-હાર્દ

No comments:

Post a Comment