ઉધાડી દ્વાર એ ભાગી ગયા છે,
ખબર થઇ, કાળજું ચોરી ગયા છે.
તમાશો જોવા સૌ આવી ગયા છે,
અગન લાગી કે કોઈ બાળી ગયા છે.
મને સાગરમાં મજધારે ડુબાડી,
બધા સમજે કે એ ફાવી ગયા છે.
હજું સપના સુવાડીને તો આવ્યો,
અચાનક કેમ એ જાગી ગયા છે.?
મરણ પામ્યો નથી, જીવંત છું હું ,
છતાં સ્મશાનમાં છોડી ગયા છે.
-પ્રશાંત સોમાણી
No comments:
Post a Comment