ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label નિરંજન ભગત. Show all posts
Showing posts with label નિરંજન ભગત. Show all posts

Sunday, June 7, 2015

જ્યાં કાવ્યમાં પ્રેમ ન મૃત્યુયુક્ત ને શિલ્પમાં યૌવન કાલમુક્ત

સદ્દભાગ્ય શું હોય મનુષ્ય હોવું ?
ક્ષણેક આનંદ, સદાય રોવું;

ક્ષણેકનું યૌવન, વૃદ્ધ થૈ જવું;
ક્ષણેકનો પ્રેમ, સદાય ઝૂરવું;

ક્ષણેક જે પ્રાપ્ત, સદાય ખોવું;
સદ્દભાગ્ય શું હોય મનુષ્ય હોવું ?

સદભાગ્ય શું ન્હોય મનુષ્ય હોવું ?
સૌંદર્ય જ્યાં નિત્ય નવીન જોવું,

જ્યાં કાવ્યમાં પ્રેમ ન મૃત્યુયુક્ત
ને શિલ્પમાં યૌવન કાલમુક્ત

ધરા અહો ધન્ય, ન સ્વર્ગ મ્હોવું;
સદ્દભાગ્ય શું ન્હોય મનુષ્ય હોવું ?

– નિરંજન ભગત

Thursday, May 7, 2015

વર્ષે વર્ષે એની એજ વર્ષગાંઠ.....

વર્ષે વર્ષે એની એજ વર્ષગાંઠ,
સિત્યોતેર હોય કે સોળ હોય કે સાઠ.

વર્ષે વર્ષે એની એજ વૈશાખ,
દેહ પર ચોળી એણે એની એજ રાખ.

એની એજ લૂ ને એની એજ લ્હાય
એનો એજ રૌદ્ર તાપે તપ્યો વાયુ વાય.

વર્ષે વર્ષે એનું એ જ ઋતુચક્ર ચાલે,
આજે પણ એનું એજ, જેવું હતું કાલે.

વર્ષે વર્ષે એનો એ જ પ્રકૃતિનો શુક્રપાઠ
વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ.

- નિરંજન ભગત