ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label નિનાદ અધ્યારુ. Show all posts
Showing posts with label નિનાદ અધ્યારુ. Show all posts

Thursday, June 2, 2016

ગઝલ..... નિનાદ અધ્યારુ

ગઝલ

ફોનમાં ગુજરાતી વંચાતું નથી,
એને શું કહેવું એ સમજાતું નથી !

આપણે બીજાને બોલી નાખીએ,
આપણાથી એજ સંભળાતું નથી.

એમ ના પૂછો કે શું-શું થાય છે,
એમ તો પૂછો કે શું થાતું નથી ?

પથ્થરો બોલો તો ઠોકી મારીએ,
આપણાથી ફૂલ ફેંકાતું નથી !

જિંદગીને કેમ જીવવી જોઈએ ?
એ પરીક્ષામાં તો પૂછાતું નથી !

ગામ આખા કાજ તાળી પાડીએ,
આપણું આણું જ પથરાતું નથી !

આપણું જે ખૂબ ગમતું નામ હો,
નામ કમબખ્ત એજ બોલાતું નથી.

આપણે રૂપિયા તો ખર્ચી નાખીએ,
આપણું હોવું જ ખર્ચાતું નથી !

રાખીએ અંતર, બધું એથી થતું,
સ્પર્શવાથી કાંઈ અભડાતું નથી.

થાય તો એ પણ કરી જોતે 'નિનાદ',
પણ ગઝલ સાથે તો પરણાતું નથી !

કવિ : નિનાદ અધ્યારુ

Sunday, April 3, 2016

મનમાં જયારે કળતર થાશે..

મનમાં જયારે કળતર થાશે,
ત્યારે સાચું ભણતર થાશે !
હોઠ બોલાવે પણ જાણું છું,
ગાલ તમારા બખ્તર થાશે !
આવો, મારા દિલમાં આવો,
થોડી-જાજી હરફર થાશે !
આછી-આછી યાદ આવે છે,
ઘાટા-ઘાટા અક્ષર થાશે !
માણસ તો માણસ થઇ જાશે,
ઈશ્વર ક્યારે ઈશ્વર થાશે ?
ઘર જેવું ક્યાં છે જ અહીં કંઇ !
ઘર વિના શું ઘર-ઘર થાશે ?
પ્રેમમાં ન્હોતું જાણ્યું 'નિનાદ',
એક અળસિયું અજગર થાશે !
કવિ : નિનાદ અધ્યારુ