ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label નરસિંહ મહેતા. Show all posts
Showing posts with label નરસિંહ મહેતા. Show all posts

Saturday, September 5, 2015

હો…. મારે આજની ઘડી રે રળિયામણી.......

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.

હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.

હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.

– નરસિંહ મહેતા

Saturday, May 30, 2015

રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે

આજ રે કાનુડે વ્હાલે અમ શું અંતર કીધાં રે,
રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે …… આજ રે કાનુડે.

શેરીએ શેરીએ સાદ પડાવી, ઘેર ઘેર હું તો જોતી રે
રૂકમિણીની ડોકે મેં તો ઓળખ્યા મારા મોતી રે ….. આજ રે કાનુડે.

રાધાજી અતિ ક્રોધે ભરાણાં નયણે નીર ન માય રે,
આપોને હરિ હાર જ મારો નહીં તો જીવડૉ જાશે રે ….. આજ રે કાનુડે.

થાળ ભરી શગ મોતી મંગાવ્યા, અણ વીંધ્યા પરોવ્યા રે,
નરસૈંયાના નાથ હરિએ, રૂઠ્યા રાધાજી મનાવ્યાં રે.
રૂઠયા રાધાજી મનાવ્યા ….

-નરસિંહ મહેતા

Saturday, May 9, 2015

આજ રે કાનુડે વ્હાલે અમ શું અંતર કીધાં રે, રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે

આજ રે કાનુડે વ્હાલે અમ શું અંતર કીધાં રે,
રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે …… આજ રે કાનુડે.

શેરીએ શેરીએ સાદ પડાવી, ઘેર ઘેર હું તો જોતી રે
રૂકમિણીની ડોકે મેં તો ઓળખ્યા મારા મોતી રે ….. આજ રે કાનુડે.

રાધાજી અતિ ક્રોધે ભરાણાં નયણે નીર ન માય રે,
આપોને હરિ હાર જ મારો નહીં તો જીવડૉ જાશે રે ….. આજ રે કાનુડે.

થાળ ભરી શગ મોતી મંગાવ્યા, અણ વીંધ્યા પરોવ્યા રે,
નરસૈંયાના નાથ હરિએ, રૂઠ્યા રાધાજી મનાવ્યાં રે.
રૂઠયા રાધાજી મનાવ્યા ….

-નરસિંહ મહેતા