ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label નિનુ મઝુમદાર. Show all posts
Showing posts with label નિનુ મઝુમદાર. Show all posts

Monday, April 4, 2016

પંખીઓએ કલશોર કર્યો- નિનુ મઝુમદાર

પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી  લઈને  સાંજનો  સમીર  આજ  વનેવન  ઘૂમ્યો
વનેવન ઘૂમ્યો.

ખુલ્લી  પડેલી  પ્રીતનો અરથ  કળી  કળીએ  જાણ્યો,
શરમની મારી ધરણીએ  કાળી રાતનો  ઘૂમટો  તાણ્યો
ઘૂમટો તાણ્યો.

પ્રગટ્યા  દીવા  કૈંક  ચપોચપ  ઊઘડી  ગગન  બારી,
નીરખે આભની આતુર આંખો  દોડી આવી દિગનારી
આવી દિગનારી.

તાળી  દઈ  કરે  ઠેકડી તીડો,  તમરાં  સિસોટી  મારે,
જોવા તમાશો  આગિયા   ચાલ્યા  બત્તી લઈ દ્વારે દ્વારે
ફરી  દ્વારે  દ્વારે.

રાતડીના અંધકારની   ઓથે  નીંદરે  અંતર  ખોલ્યાં,
કૂંચી લઈ  અભિલાષની  સોનલ  હૈયે શમણાં  ઢોળ્યાં
શમણાં ઢોળ્યાં.

-નિનુ મઝુમદાર