ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, July 17, 2016

જન્મદિવસે બસ આટલું જ કહીશ...- જે.એન.પટેલ 'જગત',

હે વિશ્વંભર....
માતાના ઉદરથી લઇને
આજ સુધીની સફર
તે જ તો સફળતા
પૂર્વક કરાવી છે....

બાળક બની આવ્યો તારા ભરોસે,
કેટલાના જીવનમાં હર્ષ ભરાઇ આવ્યો..
મારા કાલાઘેલા શબ્દોમાં
કેટલાય સ્વજનો હરખાતા..
મારા એક એક પગલામાં કેટલાય
પાપા પગલી કરતાં..
આ....હા....હાહાહા....
મારું એ બાળપણ..કેવું અનમોલ..!

ભણતરની સાથે ઘરના વડીલો
થકી જીવનના પાઠ શિખતો..
ઉંચાઇ વધતી ગઇ તેમ તેમ ઉમરની
સાથે સમજણ પણ વધતી રહી..
કયારેય ના વિસરાય એવી
મિત્રો સાથેની અનન્ય યાદો..

યુવાનીની તો શું વાત કરું..!!
સોનેરી સુરજ જાણે ઉગ્યો હોય..
એના એક એક કિરણોમા કેવી
આહલાદકતા પ્રગટતી..!!
કેમ કરી તને એ અનુભૂતિ કહું..!!

જીવનના ભવસાગરમાં તરવાની
મજા કેમ કરી વિચારોના વમળમાં વહેવડાઉ..??
શબ્દો નથી મારી પાસે..
જેમ જેમ ઉંડાઇ ખેડતો ગયો તેમ તેમ
એના ઉંડાણને માણતો ગયો..
સંસાર રૂપિ રથના પૈડા અવિરત
દોડતા રહ્યા..
એ રથના મુસાફરો વધ્યાને આનંદની
લહેરો ભવસાગરમાં ભરતી વધારતી રહી...

જીવનના દરેક તબક્કા
મારા અનમોલ છે..

હે કૃષ્ણ... હે યાદવ....
તારી જેમજ મારું બાળપણ વિત્યું..
મારી તરુણાવસ્થા ને યુવાની તે
કરેલાં નિર્દોષ તોફાનોની સોનેરી
પ્રકાશની  કિરણોની જેમજ પસાર થઇ..
પ્રૌઢાવસ્થા તો વળી મારા
અંશમા વધુ મૂલ્યવાન બની..

જીવનના બધાજ રંગો જાણે ભેગા કરી કોઇ છાંટતુ હોય..!!

બોલ હવે જગદીશ
આજના મંગલદીને
તારા આ "જગત"ની
અનમોલ પળો માટે હું શું કહું..?

બસ હ્રદયથી તારો આભાર
માની કૃતજ્ઞતા પૂર્વક વંદન...jn

No comments:

Post a Comment