ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, May 30, 2015

રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે

આજ રે કાનુડે વ્હાલે અમ શું અંતર કીધાં રે,
રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે …… આજ રે કાનુડે.

શેરીએ શેરીએ સાદ પડાવી, ઘેર ઘેર હું તો જોતી રે
રૂકમિણીની ડોકે મેં તો ઓળખ્યા મારા મોતી રે ….. આજ રે કાનુડે.

રાધાજી અતિ ક્રોધે ભરાણાં નયણે નીર ન માય રે,
આપોને હરિ હાર જ મારો નહીં તો જીવડૉ જાશે રે ….. આજ રે કાનુડે.

થાળ ભરી શગ મોતી મંગાવ્યા, અણ વીંધ્યા પરોવ્યા રે,
નરસૈંયાના નાથ હરિએ, રૂઠ્યા રાધાજી મનાવ્યાં રે.
રૂઠયા રાધાજી મનાવ્યા ….

-નરસિંહ મહેતા

No comments:

Post a Comment