ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, April 25, 2015

દિલ ન લાગે કિનારે, તો હું શું  કરું?

દિલ ન લાગે કિનારે, તો હું શું  કરું?
દૂર  ઝંઝા  પુકારે,  તો  હું  શું  કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો  હું  શું  કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે  કિનારે,  તો  હું  શું  કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું  કરું?

તારી ઝૂલ્ફોમાં  ટાંકી દઉં  તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરુ?
-આદિલ મન્સૂરી

No comments:

Post a Comment