ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, November 18, 2016

અનિલ વાળા......... ગઝલ

ગઝલ

ઊગ્યો છે તો આથમવાનો,
સૂરજ બીજું શું કરવાનો ?

ગઝલોના ફંદામાં આવ્યો,
લાગે આ માણસ મરવાનો!

પોતાનો   ફોટો   મેલીને,
પોતાને  દીવો  કરવાનો.

પથ્થર  પાદરનો  આવીને,
આંખો વચ્ચે ખરખરવાનો.

મોત! તને સત્કારું આજે,
હું તારાથી ક્યાં ડરવાનો....

ઘેલો માનો તો ઘેલો છું,
હું તો બસ આમ જ ફરવાનો....

હૈયું તારું  ચોખ્ખું  કરજે,
હું છું મેળો ત્યાં ભરવાનો.

           - અનિલ વાળા

No comments:

Post a Comment