ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, May 30, 2017

ડૉ. અયના ત્રિવેદી

બંધ આંખે હું કરું તારું સ્મરણ,
એમ રાખું દૂર હું મારું મરણ.

લાખ યત્નો હું કરું ને તે છતાં,
દોડતા તારી તરફ મારા ચરણ.

યાદ તારી પાંપણોને ભીંજવે,
કેમ કરતો ચેન મારું તું હરણ.

સાંધવાનું ક્યાં સુધી કે' તું મને,
સાવ ઝરઝર થાય છે આ આવરણ.

ડૂબવાનો ના હતો ડર એટલે,
આવવું'તું બસ ફકત તારે શરણ.

ડૉ. અયના ત્રિવેદી

No comments:

Post a Comment