ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, August 22, 2017

ભરત ભટ્ટ

હોઈએ  એવા જ  હોવા જોઈએ,
આપણે ક્યાં આપણામાં હોઈએ.

પાનબાઈ, એ કહો અમને જરા,
કેવી રીતે મોતી અહીંયા પ્રોઈએ.

કાંઈપણ પામ્યાનું કારણ શોધીએ,
એ રીતે આખ્ખું ય જીવન ખોઈએ.

મ્હેંક આવી કઈ તરફથી આ સ્થળે,
મ્હેંકતો ગજરો મૂક્યો છે કોઈએ ?

લો,પ્રતીક્ષારત નયન છલકાય છે,
આપના ચરણોને હમણાં ધોઈએ.
- ભરત ભટ્ટ

No comments:

Post a Comment