ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, April 30, 2016

ભીતરી  આગને  ઠારવા  શું  નું શું  કરે ? - રીનલ પટેલ

ભીતરી  આગને  ઠારવા  શું  નું શું  કરે ?
કોઇનું ઘર બળે ત્યાં જગત તાપણું કરે .

બંધ  હોઠો  ધરે  રૂપ  ક્યારેક  મૌનનું
થયા અલગ તો વતેસર પછી વાતનું કરે .

અન્ન, ઘર, વસ્ત્ર, સ્વપ્ન અને કેટકેટલું ,
ક્યાં લગી બાળકો કાજ 'મા' તું જતું કરે .

જીવતા જાગતા પ્રાણવાયું જે આપતું
આજ એ બારણું મારી ચિંતા હજુ કરે .

માંગતી હું નથી ને એ પણ આપતો નથી
હું ય  ખ઼ુદ્દાર છું. એ..ભલે પારખું કરે .
- રીનલ પટેલ

No comments:

Post a Comment