ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, August 22, 2017

કવિ શ્રી અમૃત ઘાયલના શેર પરથી તરહી ગઝલ... શૈલેષ પંડ્યા "ભીનાશ",

કેમ ભુલી ગયા દટાયો છું,
આ ઈમારતનો હું યે, પાયો છુ.

ફુલ, ઝાકળ, નદી બધે હાજર,
લાગે તમને કે હું પરાયો છું ?

વાંચ આંખો તું બાપ કે માની,
સ્નેહ થઈ હું જ ત્યાં સમાયો છું.

મા ભુખી તરફડે છે ઘરમાં, હું,
ભોગ છપ્પન જમી ધરાયો છું.

નરસિં, મીરા, કબીર વાણીમાં,
હું શબદસૂર થઈ ગવાયો છું.

કોક આવીને પીંજરુ તોડો,
મંદિરે, મસ્જિદે પુરાયો છુ.

કે હું ગીતા, કુરાનમાં તો છુંજ,
પણ ગઝલમાં હું તો સવાયો છું.

શૈલેષ પંડ્યા. 'નિ:શેષ'

No comments:

Post a Comment