ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, June 11, 2016

શું થયું ?.... ગુણવંત ઉપાધ્યાય

પળમાં બધું છૂટી ગયું એવું તો શું થયું;
ધડકન હ્રદય ચૂકી ગયું એવું તો શું થયું ?

એક જ વિદાય એવી તો આવી પડી અને
ઘર શોકમાં ડૂબી ગયું એવું તો શું થયું ?

ઝંડો ય અરધી કાઠીએ લટકી પડ્યો હશે;
આખું ગગન ઝૂકી ગયું એવું તો શું થયું ?

આપ્યો હિસાબ આંસુનો એણે કદી નહીં;
મ્રુગજળ નયન ઊગી ગયું એવું તો શું થયું ?

સરનામાં જેવું એનું મન પાછું ફરી જતાં;
ગમતી ગલી કૂદી ગયું એવું તો શું થયું ?

મેળા મહીં મેળાપનાં સપનાં ભૂલી જતાં;
એકાન્ત પણ રૂચી ગયું એવું તો શું થયું ?

સ્હેજે ખબર રહી નહીં એ રીત કોઈ તો
હોવાપણું ભૂલી ગયું એવું તો શું થયું ?
૦૩:૧૭    ------ ગુણવંત ઉપાધ્યાય
૧૨૦૬૨૦૧૬

No comments:

Post a Comment