ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, June 18, 2016

શું કરું હું સર્વ કિસ્સા સંઘરીને?- માધવ આસ્તિક

શું કરું હું સર્વ કિસ્સા સંઘરીને?
ખાલીપો માણી શકું જો મનભરીને.

મૌન ની સામે થયો તો એ પછીથી,
હર્ફ પણ ઉચ્ચારુ છું હું થરથરીને.

જો વહેવું આવડે તો પાર દરિયા,
ક્યાં કશે પ્હોચી શકાયું છે તરીને!

આંગળી બદલે પહોંચો ચાલશે પણ,
હસ્તરેખા માં જ બેઠા ઘરકરીને?

એક પરપોટાને કાપી નાંખવાનું,
એ જ સપનું રોજ આવે છે છરીને.

-માધવ આસ્તિક

No comments:

Post a Comment