ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, July 20, 2016

વરસાદ ન આવે તો....- મુકેશ મણિયાર

       
વરસાદ ન આવે તો
શું વાદળ મા કાણું પાડી શકાય ?
ને જેઠી બીજ ગરજે તો
એને  ગરજતી બંધ કરી શકાય?
હોળી ની ઝાળ
આપણે ધારી તે દિશે શું
ફરફરાવી શકાય ?
ને ફરફરતા ગિરનારી પવનનાં
રૂખને આપણાં થી બદલી શકાય
વરસાદ ન આવે તો
શું વાદળ મા કાણું પાડી
શકાય ?.....
વાદળો નું સાવ એવું
વરસ્યા તો વરસ્યા
નહીં તો આમ થી તેમ દૌડ્યાં,
એમને કેમ આપણી ભાષા સમજાવાય ?
વરસાદ ન આવે તો
શું વાદળ મા કાણું પાડી
શકાય ?...
ને
આપણે તો બસ
સાવ કોરાકટ રહી ને
ન વરસતાં
ન આપણી વાત સમજતાં
વાદળો સામે
જોયાં જ કરવાનું
જોયાં જ કરવાનું...
વરસાદ ન આવે તો
શું વાદળ મા કાણું પાડી શકાય ?
      
-મુકેશ મણિયાર

No comments:

Post a Comment