ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, November 18, 2016

અશોક ચાવડા ‘બેદિલ’

અવાય તો જ હવે આવ, સાવ છોડીને;
હું રાહ જોઉં છું તારો લગાવ છોડીને.

અનેકવાર તૂટ્યો એનું એક કારણ આ,
મળ્યો ન ક્યાંય અરીસો સ્વભાવ છોડીને.

નથી કશુંય નથી માત્ર ધૂળ-ઢેફાં છે,
જઈ શકાતું નથી પણ તળાવ છોડીને.

ફરી જનમવું જ પડશે એ વાત નક્કી છે,
કહ્યું તેં અંત સમયમાં : 'ન જાવ, છોડીને'.

હલેસું કાષ્ઠ હતું છેક લગ રહ્યું સાથે,
બધા જતાં જ રહ્યાં છોને નાવ છોડીને.

- અશોક ચાવડા ‘બેદિલ’
(‘પડખું ફર્યું તળાવ’માંથી)
-

No comments:

Post a Comment