ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, January 29, 2018

ગઝલ

ઉઝરડા   પડ્યા  કેવાં   લાગણીને,
મલમ    કોઈતો  આપો  આદમીને.

ખિલીને    રહેવું    શું   હોય  તેની,
ખબર હોય પણ શું આ ડાળખીને!

તને    ભાર  લાગે  પાણીનો  એવું,
કદી    કોઇએ  પૂછ્યું   વાદળીને?

રડી   કેટલું   હું   એનાં  વિરહમાં,
ખબર ક્યાં બધી છે આ આરસીને. 

ફકત  તું  મહેસુસ કર,લાગણીઓ
અપાતી  નથી  પત્ર પર આરખીને.

ઝહર મેં તો ચાખ્યા મોટા ભવનમાં,
જગ્યા  દે  ચરણમાં આ બાવરીને.
 
દરદ  શ્યામળાને  શું  છે હજી એ,
સમજમાં જ ક્યાં આવ્યું  વાંસળીને!

મળેલી  ક્ષણો  જીવનનાં સફરમાં,
નથી   આવતી  પાછી  આથમીને.

થશે તો જ જો મરજી હોય ઇશની,
"ફિઝા"થાય ના આ પ્રિત પારખીને.

*કાજલ કાંજિયા "ફિઝા"*

No comments:

Post a Comment