ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, April 30, 2016

સાવજ કદીએ ઘાસને ચરતો નથી,- નિરાશ

સાવજ કદીએ ઘાસને ચરતો નથી,
દિવસે કદી તારો અહીં ખરતો નથી.

છે એટલે વિશ્વાસ મારો દોસ્તને,
બોલ્યાં પછી ક્યારેય હું ફરતો નથી.

સારો કહે કે ના કહે પરવા નથી,
સાચું કહેવાથી કદી ડરતો નથી .

સારો હતો તે તો ગયો જલ્દી ઉપર,
નડનાર જીવે છે અહીં મરતો નથી .

બાળી બધુંએ ખાખ કરશે ક્રોઘ આ,
આ ક્રોધનો અગ્નિ દિલે ઠરતો નથી.

જો રાખવો સંબંધ હો તો આવજે,
હું હાથ જોડી આજ કરગરતો નથી.

સમજે બધાં મૂરખ મને છે એટલે,
સંબંધમાં હું ગણતરી કરતો નથી,
- 'નિરાશ'  અલગોતર રતન

No comments:

Post a Comment