ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, August 18, 2016

જે ભીતર અજવાશને ઝાંખે- સ્નેહી પરમાર

જે ભીતર અજવાશને ઝાંખે
મૌન ધરે,  કાં મંતર ભાખે

ખોટી ઝાલક નાંખી ઝાંપે
જાણ્યું ના તેડેલું કાખે

ભરચક હો તો પણ ના ભાખે
મળશે બસ એકાદું લાખે

હૂંડી લખવાનું છોડી દે
એ ય લખે ના તારી શાખે?

દરવાજેથી ક્યાં આવ્યું છે?
કે રહેશે દરવાજા વાખે

નોંધી લે મળવાનું થાનક
તારે મારે મળવું રાખે

- સ્નેહી પરમાર

(" યદા તદા ગઝલ " માંથી સાભાર)

No comments:

Post a Comment