ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, March 28, 2016

મનોજની લેખણી જાદૂ કરે છે

મનોજની લેખણી જાદૂ કરે છે,
સતત કાગળ ઉપર કંકુ ખરે છે.

નજર મારી હવે જ્યાં જ્યાં ઠરે છે,
કલાપીની કવિતાઓ તરે છે.

ગની સૌ મોહ માયાથી પરે છે.
એનાં ચૌદે ભૂવન એનાં ઘરે છે.

અનિલની હાંક પડતાં થરથરે છે,
શરદ, વિજળી અને સૂરજ ડરે છે.

કબર પર જઇને સૌ ફૂલો ધરે છે,
કે જ્યાં બેફામ શાં શાયર મરે છે.

ઉભા છે ઉંબરે શયદા હજુ પણ,
નયનમાંથી પ્રતિક્ષાઓ ઝરે છે.

હરણ શોધી રહ્યા છે ઝાંઝવાને,
ર.પા. ની પેનમાં જઇને ફરે છે.

બદલશો તો ઉડી જાશે અચાનક,
નયનનાં સર્વ શમણાં ચાદરે છે.

કોઇ આદિલ ભીની માટીનો દરિયો,
સુગંધી કહી અને શ્વાસે ભરે છે.

ઉડે છે યાદનાં પરફ્યુમ અવિરત,
અદમ ડનલોપમાં સપને સરે છે.

હજુ તાપી કિનારે જઇ જૂઓ તો,
આસીમ - લીલાની યાદો પાંગરે છે.
-જય દાવડા

No comments:

Post a Comment